Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsNationalશા માટે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?

શા માટે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?

નવી દિલ્હી:  23 એપ્રિલે વિશ્વવ્યાપી યુનેસ્કો અને અન્ય સંબંધિત સંગઠનો દ્વારા લેખકો, પુસ્તકોનું વિશ્વભરમાં સન્માન, વાંચનની કળાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બુક અને કોપિરાઇટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ બુક કેપિટલ 2020 કુઆલાલંપુર છે જે મેલેશિયાની રાજધાની છે.

વર્લ્ડ બુક અને કોપિરાઇટ ડેને વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વિલિયમ શેક્સપીયર, મિગ્યુઅલ સર્વેન્ટસ અને આ દિવસે મૃત્યુ પામેલા ઈન્કા ગાર્સિલાસો ડે લા વેગા સહિતના મહાન સાહિત્યિક વ્યકિતઓને શ્રદ્ધાંજલિ આપવા યુનેસ્કોએ 23મી એપ્રિલને વિશ્વ બુક ડે તરીકે પસંદ કર્યો છે. 23 એપ્રિલ 1995 ના રોજ પ્રથમ વખત વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવી હતી.

વર્લ્ડ બુક ડે 2020ની થીમ

દર વર્ષે વર્લ્ડ બુક ડેની ખાસ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે થીમ છે પુસ્તકોમાં જ્ઞાન આપવાની સાથે જ મનોરંજન કરવાની પણ અનોખી ક્ષમતા હોય છે. વિશ્વના અલગ અલગ દેશોમાં જૂદી જૂદી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ફ્રીમાં પુસ્તકો વેંચવામાં આવે છે તો ક્યાક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્પેનમાં બે દિવસ સુધી રીડિંગ મેરાથનનું આયોજન થાય છે. અંતમાં એક લેખકને પ્રતિષ્ઠિત મિગેલ ડે સરવાન્ટીસ એવોર્ડ આપવામાં આવે છે. તો સ્વીડનમાં શાળા અને કોલેજોમાં લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular