Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2202 નવા કેસ, 27નાં મોત

કોરોનાના 2202 નવા કેસ, 27નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2202 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 11.5 ટકા ઓછા છે.  છેલ્લા કલાકમાં 27 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.37થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,23,801 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,241 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,82,243 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2550 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 17,317એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,97,242 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.59 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.69 ટકા છે.

દેશમાં 191.37 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,91,37,34,314 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3,10,218 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular