Thursday, November 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,11,298 વધુ નવા કેસ, 3847નાં મોત 

કોરોનાના 2,11,298 વધુ નવા કેસ, 3847નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર વધારો થયો છે, પણ દૈનિક કેસો હજી બે લાખની આસપાસ નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,11,298 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3847 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,73,69,093 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,15,235 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,44,33,951 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,83,135 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 24,19,907એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.15 ટકા થયો છે.

દેશમાં 20.26 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 20,26,95,874 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28,85,805 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular