Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,08,921 વધુ નવા કેસ, 4157નાં મોત 

કોરોનાના 2,08,921 વધુ નવા કેસ, 4157નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે, પણ દૈનિક કેસો હજી બે લાખની આસપાસ નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,08,921 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4157 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,71,57,795 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,11,388 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,43,50,816  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,95,955 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 24,95,591એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.66 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.15 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 22,17,320 લોકોનું ટેસ્ટિંગ થયું છે. દેશમાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી નીચે છે.

દેશમાં 20.06 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 20,06,62,456 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,39,087 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular