Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2022 નવા કેસ, 46નાં મોત

કોરોનાના 2022 નવા કેસ, 46નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2022 નવા કેસ નોંધાયા છે,  જે ગઈ કાલની 2226ની તુલનાએ નવ ટકા ઓછા છે. છેલ્લા કલાકમાં 46 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 192.38થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 15,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,38,393 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,459 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,99,102 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2099 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 14,832એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,94,812 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.70 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 192.38 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,92,38,45,615 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8,81,668 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular