Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકર્ણાટક ચૂંટણીમાં છેલ્લા દિવસે 1900 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

કર્ણાટક ચૂંટણીમાં છેલ્લા દિવસે 1900 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

બેંગલુરુઃ કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવા માટેની પ્રક્રિયા ગુરુવારે (20 એપ્રિલે) પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બધા ઉમેદવારોએ પોતપોતાનું નામાંકન પત્ર સોંપવા માટે 13થી 20 એપ્રિલ સુધીનો સમય નિર્ધારિત કર્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાનુસાર નામાંકન પત્ર દાખલ કરવાનું કામ શરૂ થયા પછી 3600થી વધુ ઉમેદવારોએ કુલ 5102 નામાંકન દાખલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસે 1900થી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યાં હતાં. આ નામાંકન પત્રોની તપાસ શુક્રવારે (21 એપ્રિલ) થશે.ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4710 નામાંકનમાંથી 3327 પુરુષ ઉમેદવારોએ અને 391 નામાંકનમાંથી 304 મહિલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. જ્યારે એક અન્ય જાતિના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભાજપના 707 ઉમેદવારોએ, જ્યારે કોંગ્રેસના 651 અને જનતા દળ (એસ)ના 455 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. છેલ્લા દિવસે અનેક અગ્રણી નેતાઓએ નામાંકન પત્ર ભર્યાં હતાં.  કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પારંપરિક સીટ પર તેમના ભાઈએ નામાંકન દાખલ કરીને સૌને ચોંકાવ્યા હતા. ડીકે સુરેશે કનકપુરા વિધાનસભા સીટ પરથી નામાંકન પત્ર કર્યું હતું. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે સુરેશે શિવકુમારનું નામાંકન રદ થવાની સ્થિતિમાં બેકઅપ પ્લાન તરીકે અહીંથી નામાંકન દાખલ કર્યું છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular