Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 16,862 નવા કેસ, 379નાં મોત

કોરોનાના 16,862 નવા કેસ, 379નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,862 નવા કેસ સામે આવ્યા છે. જે 216 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 379 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,40,37,592 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,51,814 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,33,82,100 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,391 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,03,678એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,80,148 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 58.88 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 97.14 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 97,14,38,553 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,26,483 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular