Friday, July 25, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 18,855 નવા કેસ, 163નાં મોત

કોરોનાના 18,855 નવા કેસ, 163નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,855 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 163 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,20,048 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,010 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,03,94,352 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,746 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,71,686 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular