Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 18,833 નવા કેસ, 278નાં મોત

કોરોનાના 18,833 નવા કેસ, 278નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં નજીવો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,833 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 278 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,38,71,881 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,49,538 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,31,75,656 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,770 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,46,687એ પહોંચી છે, જે છેલ્લા 209 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.94 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,09,825 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 57.68 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 92.17 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 92,17,65,405 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 59,48,405 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular