Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 18,819  નવા કેસ, 39નાં મોત

કોરોનાના 18,819  નવા કેસ, 39નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં 29.7 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,819 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 39 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 197.61થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,34,52,164 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનેમ ગઈ કાલે ચેતવણી ઉચ્ચારી હતી કે કોવિડ19 રોગચાળો સ્વરૂપ બદલી રહ્યો છે, પણ એ ખતમ નથી થયો. આ ઉપરાંત એણે એ પણ કહ્યું હતું કે કોરોનાના 110 દેશોમાં કેસો વધી રહ્યા છે.દેશમાં અત્યાર સુધી 5,25,116 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,28,22,4923 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,827 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,04,555એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.55 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,52,430 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.07 ટકા છે.

દેશમાં 197.61 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,97,61,91,493 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,17,217 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular