Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોરાનાના 188 કેસોઃ 220.07 કરોડ ડોઝ અપાયા

કોરાનાના 188 કેસોઃ 220.07 કરોડ ડોઝ અપાયા

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 188 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે કોઈનું પણ મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.07 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,77,647 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,696 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,43,483 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 141 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3468એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,34,995 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 91.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.15 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.14 ટકા છે.

દેશમાં 220.07 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,07,34,218 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 90,529 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular