Monday, June 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1829 નવા કેસ, 33નાં મોત

કોરોનાના 1829 નવા કેસ, 33નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1829 નવા કેસ નોંધાયા છે. છેલ્લા કલાકમાં 33 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.65થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,27,199 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,87,259 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2549 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 15,647એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,34,962 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.49 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.59 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.69 ટકા છે.

દેશમાં 191.65 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,91,65,00,770 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,97,695 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular