Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,79,723 નવા કેસઃ 146નાં મોત

કોરોનાના 1,79,723 નવા કેસઃ 146નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર જારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,79,723 નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 12.5 ટકા વધુ છે. દેશમાં કોરોનાના કેસોમાં 13 દિવસમાં દૈનિક ધોરણે કેસ 28 ગણા થયા છે. 28 ડિસેમ્બરે 6358 કેસો હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 146 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,57,07,727 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,83,936 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4033એ પહોંચી છે, જેમાં 1552 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 1216 નોંધાયા છે અને બીજા ક્રમે રાજસ્થાનમાં 529 કેસો છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,45,00,172 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 46,569 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7,23,619એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.62 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,52,717 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 151.94 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,51,94,05,951 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,60,975 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular