Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 17,921ના નવા કેસ, 133નાં મોત 

કોરોનાના 17,921ના નવા કેસ, 133નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નિરંતર નવા કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 17,921 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 133 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,12,62,707 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,58,063 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,09,20,046  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,652 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,84,598 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.40 ટકા થયો છે.

 દેશમાં 2.43 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 2,43,67,906 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 13,59,173 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular