Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 17,407ના નવા કેસ, 89નાં મોત 

કોરોનાના 17,407ના નવા કેસ, 89નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નિરંતર  નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.11  કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 17,407 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 89 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,11,56,923 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,57,435 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,08,26,075  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,031 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,73,413 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.41 ટકા થયો છે.

 દેશમાં 1.66 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,66,16,048 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 9,94,452 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular