Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1685 નવા કેસ, 83નાં મોત

કોરોનાના 1685 નવા કેસ, 83નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1685 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 25,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 182.55 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,16,372 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,755 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,78,087 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2499 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,530એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6,91,425 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.33 ટકા છે.

અમેરિકામાં ઓમિક્રોનના નવા વેરિયેન્ટનો કહેર

અમેરિકાના કેટલાક ભાગોમાં કોરોના વાઇરસનો BA.2 વેરિયેન્ટ કહેર વર્તાવી રહ્યો છે. હાલ અમેરિકામાં દૈનિક ધોરણે સરેરાશ 28,600 કેસ નોંધવામાં આવી રહ્યા છે. એ જાન્યુઆરીમાં નોંધવામાં આવેલા 8,00,000 સરેરાશ કેસોથી બહુ ઓછા છે. અહીં પ્રતિ દિન 900 કેસો છે. અહીં અત્યાર સુધી કોરોનાથી 10 લાખ કેસો નોંધાઈ રહ્યા છે.

દેશમાં 182.55 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,82,55,75,126 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,82,451 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular