Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,68,063 નવા કેસઃ 277નાં મોત

કોરોનાના 1,68,063 નવા કેસઃ 277નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર જારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,68,063 નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 6.5 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 277  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,58,75,790 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,84,213 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4461એ પહોંચી છે, જેમાં 1711 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 1247 નોંધાયા છે અને બીજા ક્રમે રાજસ્થાનમાં 529 કેસો છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,45,70,131 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 69,959 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 8,21,446એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,79,928 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 69.31 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 152.89 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,52,89,70,294 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 92,07,700 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular