Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,67,059 નવા કેસઃ 1192નાં મોત

કોરોનાના 1,67,059 નવા કેસઃ 1192નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,67,059  નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 204 ટકા ઓછા છે. જોકે ગઈ કાલના કોરોના 2.09 લાખ કેસોની તુલનાએ સાધારણ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 959 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,14,69,499 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 4,96,242 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 11.69 ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર 15.25 ટકા છે.  

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,92,30,198 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,54,076 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 17,43,059એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,28,672 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 73.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 166.68 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,66,68,48,204 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 61,45,767 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular