Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1660 નવા કેસ, 4100નાં મોત

કોરોનાના 1660 નવા કેસ, 4100નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1660 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4100 લોકોનાં મોત થયાં છે, એમાં મહારાષ્ટ્રના બેકલોગના ડેટા જોડવામાં આવ્યા છે. દેશમાં સક્રિય કેસો 25,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 182.87 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,18,032 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,20,855 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,80,436 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2349 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,741એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6,58,489 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.33 ટકા છે.

દેશમાં 182.87 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,82,87,68,476 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,07,479 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular