Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 16,159  નવા કેસ, 28નાં મોત

કોરોનાના 16,159  નવા કેસ, 28નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,159 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 23.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 198.20થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,35,47,809 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,25,270 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,29,07,327 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15,394 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,15,212એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.53 ટકાએ છે,[1] જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,54,465 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.90 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.81 ટકા છે.

દેશમાં 198.20 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,98,20,86,763 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9,95,810 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular