Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 16,156 નવા કેસ, 733નાં મોત

કોરોનાના 16,156 નવા કેસ, 733નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,156 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 20 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 733 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,42,31,809 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,56,386 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,36,14,434 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,095 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,60,989એ પહોંચી છે, જે છેલ્લા 241 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.20 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,90,900 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 56.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 104.04 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,04,04,99,873 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 49,09,254 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular