Saturday, May 24, 2025
Google search engine
HomeNewsMumbai26/11 મુંબઈમાં આતંકવાદી હુમલાને 16 વર્ષ પૂરાં

26/11 મુંબઈમાં આતંકવાદી હુમલાને 16 વર્ષ પૂરાં

મુંબઈઃ મુંબઈમાં 26 નવેમ્બર, 2008એ આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલાની આગ હજી ભભૂકી રહી છે. આજથી 16 વર્ષ પહેલાં લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે 166 લોકોનાં મોત થયાં હતાં અને 300થી વધુ ઘાયલ થયા હતા. ભારતના ઇતિહાસમાં એ એક કાળો દિવસ હતો, જેને ભારત કદાચ જ ભૂલી શકશે.

ભારતીય સુરક્ષા દળોએ ચાર દિવસના ઓપરેશનમાં નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈને હચમચાવી નાખનાર આ હુમલાને 16 વર્ષ વીતી ગયાં છે, પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે. મુંબઈમાં તાજમહેલ હોટેલ પર જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તાજ હોટલમાં લગભગ 450 મહેમાનો હાજર હતા. તેમણે અંધાધૂંધ ગોળીબારમાં ઘણાને મારી નાખ્યા હતા.

હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ ઓબેરોય ટ્રાઈડન્ટ અને નરીમાન હાઉસ પર હુમલો કર્યો હતો. મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલા આ આતંકવાદી હુમલામાં લગભગ 166 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. જેમને 21 નવેમ્બર 2012એ યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

માત-ઉદ-દાવાનો નેતા હાફિઝ સઈદ 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જેને પાકિસ્તાન આજ સુધી બચાવી રહ્યું છે. આ હુમલામાં નિવૃત્ત સૈનિક તુકારામ ઓમ્બલે અને તાજમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પગમાં ગોળી વાગી ગયેલા કમાન્ડો સુનીલ યાદવને બચાવતા NSG મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular