Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1581 નવા કેસ, 33નાં મોત

કોરોનાના 1581 નવા કેસ, 33નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1581 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.56 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,10,971 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,543 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,70,515 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2741 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 23,913એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5,68,471 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.36 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.28 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.39 ટકા છે.

 દેશમાં 181.56 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,81,56,01,944 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,58,879 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular