Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 15,510ના નવા કેસ, 106નાં મોત 

કોરોનાના 15,510ના નવા કેસ, 106નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નિરંતર  નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.11  કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,510 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 106 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,11,12,241 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,57,157 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,07,86,457  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,288 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,68,627 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.41 ટકા થયો છે.

 દેશમાં 1.43 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,43,01,266 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular