Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,52,734 વધુ નવા કેસ, 3128નાં મોત 

કોરોનાના 1,52,734 વધુ નવા કેસ, 3128નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર નબળી પડતી દેખાઈ રહી છે. ફરી એક વાર બે લાખથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,52,734 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11 એપ્રિલ પછી સૌથી ઓછા કેસો નોંધાયા છે.  આ પહેલાં 11 એપ્રિલે 1,52,879 કેસો નોંધાયા હતા. કોરોનાની બીજી લહેરમાં 6-7 મેએ સૌથી વધુ કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં 3128 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,88,47,534 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,29,100 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,56,92,342  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,38,022 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 20,26,092એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.17 ટકા થયો છે.

છેલ્લા 10 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે છે. પોઝિટિવિટી રેટ 9.07 ટકા છે.

દેશમાં 21.31 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 21,31,54,129 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,18,076 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular