Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 15,102 નવા કેસ, 278નાં મોત

કોરોનાના 15,102 નવા કેસ, 278નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,102 નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 12.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 278 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,28,67,031 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,12,622 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,21,89,887 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31,377 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,64,522એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.42 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,83,438 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 76.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 1.28 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.80 ટકા છે.

 દેશમાં 176.19 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,76,19,39,020 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,84,744 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular