Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 14,989ના નવા કેસ, 98નાં મોત 

કોરોનાના 14,989ના નવા કેસ, 98નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત  નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.11  કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,989 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 98 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,11,39,516 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,57,346 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,07,98,921  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,123 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,70,126 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.41 ટકા થયો છે.

 દેશમાં 1.56 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,56,20,749 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 7,68,730 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular