Monday, June 2, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,49,394 નવા કેસઃ 1072નાં મોત

કોરોનાના 1,49,394 નવા કેસઃ 1072નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,49,394  નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 13 ટકાનો ઘટાડો થયો છે. જોકે ગઈ કાલના કોરોના 1.72 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1072 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,19,52,394 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 50,00,55 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 9.27 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,00,17,088 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,46,674 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 14,35,569એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.39 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,11,666 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 73.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.   

 દેશમાં 168.47 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,68,47,16,068 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 55,58,760 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular