Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના નવા 14,933 કેસો, 312નાં મોત

કોરોનાના નવા 14,933 કેસો, 312નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,933 નવા કેસ સામે આવ્યા છે અને 312 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,40,215 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,011 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,48,189 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,78,014એ પહોંચી છે. રિકવરી રેટ 56.37 ટકા થયો છે.  

કોરોના મામલે મહારાષ્ટ્ર નંબર વન

દેશમાં રાજ્યવાર કોરોનાના સૌથી વધુ કેસોને મામલે મહારાષ્ટ્ર પહેલા ક્રમાંકે છે. ત્યાર બાદ દિલ્હી અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 2721 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,35, 796 થઈ ગઈ છે, જેમાંથી 6283 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 91 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,92,1899 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 91,86,151એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular