Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 13586 નવા કેસ, 336નાં મોત

કોરોનાના 13586 નવા કેસ, 336નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,586 નવા કેસ સામે આવ્યા છે અને 336 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,80,532 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 12,573 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,04,711 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,63,248એ પહોંચી છે. રિકવરી રેટ 53.79 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,979

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,000ને પાસ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 2877 નવા રેકોર્ડ કેસ સામે આવ્યા છે, એની સાથે અહીં સંક્રમિતોનો આંકડો વધીને 49,979એ પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 8726 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  આ સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 1969 લોકોનાં મોત થયાં છે.

 મહારાષ્ટ્રમાં કોરોનાના 3752 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 3752 નવા કેસ સામે આવ્યા છે અને 100 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,20,504 થઈ ગઈ છે, જેમાંથી 5751 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 85 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,56,284 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 85,78,052એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular