Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 13,216 નવા કેસ, 23નાં મોત

કોરોનાના 13,216 નવા કેસ, 23નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના  કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 196થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 70,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,83,793 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,840 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,90,845 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8148 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 68,108એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.63 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,84,924 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.62 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.38 ટકા છે.

દેશમાં 196 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,96,00,42,768 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,99,824 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular