Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 13,203 નવા કેસ, 131નાં મોત

કોરોનાના 13,203 નવા કેસ, 131નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.06 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,203 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 131 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,06,67,736 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,53,470 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,03,30,084  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,130 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,84,182એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને રસી અપાઈ

દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત  હવે દુનિયાના તે ટોપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં  કુલ 16,15,504 લોકોને કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular