Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 13,166 નવા કેસ, 302નાં મોત

કોરોનાના 13,166 નવા કેસ, 302નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,166 નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ સાત ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,28,94,345 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,13,226 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,22,46,884 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26,988 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,34,235એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.49 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,30,016 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 76.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 1.28 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.48 ટકા છે.

 દેશમાં 176.86 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,76,86,89,266 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32,04,426 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular