Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 131 નવા કેસ, 3નાં મોત

કોરોનાના 131 નવા કેસ, 3નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 131 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 3નાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.01 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,76,330 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાની પરિસ્થિતિ વિશે વિચારવિમર્શ કરવા માટે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં અન્ય દેશોમાં વધી રહેલા કોરોના કેસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

દેશમાં અત્યાર સુધી 5,30,680 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,42,242 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3408એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,15,734 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 90.89 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1.59 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.08 ટકા છે.

દેશમાં 220.01 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,01,45,981 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 53,872 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular