Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,923ના નવા કેસ, 108નાં મોત 

કોરોનાના 12,923ના નવા કેસ, 108નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,923 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 108 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,71,294 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,360 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,73,372  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,764 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,42,562 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 70,17,114 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,05,49 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular