Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,847 નવા કેસ, 14નાં મોત

કોરોનાના 12,847 નવા કેસ, 14નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 195.84થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 70,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,70,577 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 4255 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી 5,24,817 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,82,697 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7985 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 63,063એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.64 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5,19,903 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.62 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.38 ટકા છે.

દેશમાં 195.84 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,95,84,03,471 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,27,365 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular