Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,830 નવા કેસ, 446નાં મોત

કોરોનાના 12,830 નવા કેસ, 446નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,830 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 446 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,42,73,300 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,58,186 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,36,55,842 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,667 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,59,272એ પહોંચી છે, જે છેલ્લા 247 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.20 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,35t,142 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 106.14 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,06,14,40,335 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 68,04,806 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular