Tuesday, December 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,27,952 નવા કેસઃ 1059નાં મોત

કોરોનાના 1,27,952 નવા કેસઃ 1059નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,952  નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલના કોરોના 1.49 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1059 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,20,80,664 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 5,01,114 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 9.27 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,02,47,902 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,30,814 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 13,31,648એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,03,856 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 73.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

  દેશમાં 168.98 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,68,98,17,199 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 47,53,081 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular