Tuesday, May 27, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,516 નવા કેસ, 501નાં મોત

કોરોનાના 12,516 નવા કેસ, 501નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,516 નવા કેસ સામે આવ્યા છે જે ગઈ કાલની તુલનાએ 4.4 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 501 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,44,14,166 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,62,690 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,38,14,080 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,155 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,37,416એ પહોંચી છે, જે છેલ્લા 267 દિવસમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.26 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,65,286 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 110.79 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,10,79,51,225 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 53,81,889 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular