Saturday, June 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,514 નવા કેસ, 251નાં મોત

કોરોનાના 12,514 નવા કેસ, 251નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,514 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 251 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,42,85,814 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,58,437 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,36,68,560 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,718 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,58,817એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.20 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,81,379 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.92 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 106.31 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,06,31,24,205 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12,77,542 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular