Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોના વાઇરસથી 1,251 લોકો ચેપગ્રસ્તઃ 32નાં મોત

દેશમાં કોરોના વાઇરસથી 1,251 લોકો ચેપગ્રસ્તઃ 32નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,251 લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે અને 32 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ દેશમાં કોરોના વાઇરસના બીજા તબક્કામાં છે. જોકે આ રોગથી અત્યાર સુધી 102 લોકો મુક્ત થઈ ચૂક્યા છે. વિશ્વભરમાં અત્યાર સુધી 7.80 લાખ લોકોથી વધુ લોકો કોરોના વાઇરસના સંક્રમિત થઈ ચૂક્યા છે અને 33 ,000 લોકોથી વધુનાં મોત થઈ ચૂક્યાં છે.

મહિનામાં હાલત ખરાબ

પહેલી માર્ચે દેશમાં માત્ર ત્રણ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ પાંચમી માર્ચે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 29, 10 માર્ચે 45, 15 માર્ચે 98, 20 માર્ચે 236, 25 માર્ચે 606 અને 31 માર્ચે આ રોગના દર્દીઓની સંખ્યા વધીને 1,251 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાના કુલ 73 કેસ

મંગળવારે ગુજરાતમાં કોરોના વાઇરસના બે કેસમાં વધારો થયો છે. એટલે કે કુલ કેસ કેસ 73 થયા છે. 55 વર્ષના એક પુરુષ દર્દી અમદાવાદના છે, તો અન્ય એક અન્ય એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. 32 વર્ષના મહિલા ગાંધીનગરના છે. તો બીજી તરફ, પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઇન કુલ 19000 લોકો છે, આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular