Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 12,213 નવા કેસ, 11નાં મોત

કોરોનાના 12,213 નવા કેસ, 11નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના  કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,213 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 195.67થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 60,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,57,730 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,803 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,74,712 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7624 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 58,215એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.65 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5,19,419 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.38 ટકા છે.

દેશમાં 195.67 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,95,67,37,014 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,21,942 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular