Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,20,529 વધુ નવા કેસ, 3380નાં મોત 

કોરોનાના 1,20,529 વધુ નવા કેસ, 3380નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,20,529 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3380 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,86,94,879 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,44,082 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,67,95,549  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,97,894 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 15,55,248એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.38 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.

દેશમાં ગઈ કાલે 20,84,421 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી. પોઝિટિવિટી રેટ 5.78 ટકા છે.  દેશમાં 22.78 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 22,78,60,317 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36,50,080 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular