Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsNationalપંજાબના તરનતારનમાં શીખોના નગર કીર્તનમાં ધડાકો 12થી વધુનાં મોત

પંજાબના તરનતારનમાં શીખોના નગર કીર્તનમાં ધડાકો 12થી વધુનાં મોત

પંજાબઃ પંજાબના તરનતારન જિલ્લામાં શનિવારે ધાર્મિક જુલૂસ દરમ્યાન ફટાકડાથી થયેલા વિસ્ફોટમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ આકસ્મિક ઘટનામાં 20થી વધુ લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હોવાની આશંકા છે. આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ ઘટનાને પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે શીખોના નગર કીર્તન દરમ્યાન આ ફટાકડાઓને એક ટ્રેક્ટર-ટ્રોલી પર લઈ જઈ રહ્યા હતા. આ ટ્રેક્ટરમાં તણખાથી વિસ્ફોટ થયો હતો, જેમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આઇજીપી (બોર્ડર) એસપીએસ પરમારે જણાવ્યું હતું કે આ ધાર્મિક જુલૂસ દરમ્યાન લોકો ફટાકડા પણ ફોડી રહ્યા હતા. આવામાં ભારે માત્રામાં ફટાકડા ટ્રેક્ટર ટ્રોલી પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં તણખો લાગતાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે ટ્રોલીના ફુરચેફુરચા થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular