Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 11,903 નવા કેસ, 311નાં મોત

કોરોનાના 11,903 નવા કેસ, 311નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે, જે ગઈ કાલની તુલનાએ 14.2 ટકા વધુ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,903 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 311 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 26 દિવસોથી કોરોનાના દૈનિક કેસો 20,000થી ઓછા છે અને 129 દિવસોથી 50,000થી નવા કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,43,08,140 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,59,191 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,36,97,740 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,159 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,51,209એ પહોંચી છે, જે છેલ્લા 252 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.22 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,68,514 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.92 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 107.29 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,07,29,66,315 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 41,16,230 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular