Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,17,100 નવા કેસઃ 302નાં મોત

કોરોનાના 1,17,100 નવા કેસઃ 302નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસોમાં કોરોનાના દૈનિક ધોરણે કેસો 18 ગણા વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસોમાં 485 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100  નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 28.8 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,52,26,386 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,83,178 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 3007એ પહોંચી છે, જેમાં 1199 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 878 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 465 કેસો છે. ઓમિક્રોનથી દેશમાં એક મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,43,71,845 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 30,836 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,71,363એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.57 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,13,377 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.68 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 149.66 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,49,66,81,156 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 94,47,056 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular