Thursday, July 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 11,067ના નવા કેસ, 94નાં મોત 

કોરોનાના 11,067ના નવા કેસ, 94નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,067 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 94 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,58,371 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,252 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,61,608  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,016 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,41,511 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 66 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 66,11,561 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3,52,553 કોરોના રસી આપવામાં આવી હતી. સાત રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણથી એક પણ મોત થયું નથી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular