Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 11,039 નવા કેસ, 110નાં મોત 

કોરોનાના 11,039 નવા કેસ, 110નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,039 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 110 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,77,284 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,596 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,04,62,631  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,225 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,60,057 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.04 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

40 લાખથી વધુનું રસીકરણ

દેશમાં કોરોના રસીકરણના માધ્યમથી 40 લાખથી વધુ દેશવાસીઓને રસી  આપવામાં આવી ચૂકી છે. એક દિવસમાં 1.9 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આંદામાન અને નિકોબારમાં છેલ્લા આઠ દિવસમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અહીં છેલ્લા 42 દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આ સાથે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100થી પણ ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular