Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 10,929 નવા કેસ, 392નાં મોત

કોરોનાના 10,929 નવા કેસ, 392નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,929 નવા કેસ સામે આવ્યા છે. જોકે એક દિવસ પહેલાં 12,729 નવા કેસો નોંધવામાં આવ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 392 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,43,44,683 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,60,265 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,37,37,468 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,509 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,46,950એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.23 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,10,783 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 107.92 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,07,92,19,546 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,75,942 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular