Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 10,126 નવા કેસ, 332નાં મોત

કોરોનાના 10,126 નવા કેસ, 332નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,126 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 332 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,43,77,113 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,61,389 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,37,75,086 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,126 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,40,638એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 98.25 ટકાએ પહોંચ્યો છે, મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,85,848 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 109.08 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,09,08,16,356 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 59,08,440 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular